July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની 38મી પુણ્‍યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવાનું કોઈપણ રાજકીય પાર્ટી કે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ભુલાઈ ગઈ હોવાનું જોવા મળ્‍યું હતું. સેલવાસ કલેકટર કચેરીની બાજુમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે કોઈએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય એવું જણાયું નથી. ઉપરાંત તેમની પ્રતિમાની સાફ-સફાઈ કરવાની પણ તસ્‍દી લેવામાં આવેલ નહીં હોવાનુંધ્‍યાનમાં આવ્‍યું છે. આ બાબતે પ્રદેશમાં જાણે કે કોંગ્રેસનું અસ્‍તિત્‍વ જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનની ટીમ દ્વારા પણ દર વર્ષે સ્‍વ.ઈન્‍દિરાજીને પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા પણ આ તરફ ધ્‍યાન આપ્‍યું નથી.

Related posts

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment