April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની 38મી પુણ્‍યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવાનું કોઈપણ રાજકીય પાર્ટી કે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ભુલાઈ ગઈ હોવાનું જોવા મળ્‍યું હતું. સેલવાસ કલેકટર કચેરીની બાજુમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે કોઈએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય એવું જણાયું નથી. ઉપરાંત તેમની પ્રતિમાની સાફ-સફાઈ કરવાની પણ તસ્‍દી લેવામાં આવેલ નહીં હોવાનુંધ્‍યાનમાં આવ્‍યું છે. આ બાબતે પ્રદેશમાં જાણે કે કોંગ્રેસનું અસ્‍તિત્‍વ જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનની ટીમ દ્વારા પણ દર વર્ષે સ્‍વ.ઈન્‍દિરાજીને પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા પણ આ તરફ ધ્‍યાન આપ્‍યું નથી.

Related posts

સેલવાસ પોલીસે બેંકમાંથી ઓનલાઈન લોન અપાવવાના નામે છેતરપીંડી કરનાર એક આરોપીની કરેલી ધરપકડ : 23મી ડિસેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડી

vartmanpravah

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

vartmanpravah

Leave a Comment