(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલીમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની 38મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવાનું કોઈપણ રાજકીય પાર્ટી કે પ્રશાસનના અધિકારીઓ દ્વારા ભુલાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. સેલવાસ કલેકટર કચેરીની બાજુમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે, પરંતુ આ વર્ષે કોઈએ પણ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય એવું જણાયું નથી. ઉપરાંત તેમની પ્રતિમાની સાફ-સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં આવેલ નહીં હોવાનુંધ્યાનમાં આવ્યું છે. આ બાબતે પ્રદેશમાં જાણે કે કોંગ્રેસનું અસ્તિત્વ જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનની ટીમ દ્વારા પણ દર વર્ષે સ્વ.ઈન્દિરાજીને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા પણ આ તરફ ધ્યાન આપ્યું નથી.