Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો, લાઉડ સ્‍પીકર, હેલીપેડ વગેરે પરવાનગીઓ એક જ સ્‍થળેથી મળી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી – 2022 દરમિયાન ચૂંટણી જાહેર થયા બાદ તુર્તજ ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્‍પીકર તેમજ હેલીપેડના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્‍થળેથી અને સમયસર મળી રહે તેમજ તે માટે તેમણે અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મત વિસ્‍તારનાં મુખ્‍ય મથક ખાતે નોડલ અધિકારીની નિંમણૂંક કરી સીંગલ વિન્‍ડો સીસ્‍ટમ કાર્યરત કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ સીંગલ વિન્‍ડો સીસ્‍ટમની અમલવારી અર્થે વિધાનસભા વિસ્‍તાર મુજબ નોડલ ઓફિસરશ્રીની નિમણુંક કરી છે. જે મુજબ જિલ્લા નોડલ અધિકારી તરીકે મામલતદારવલસાડની નિમણૂંક કરવામાં આવી છે જે વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે નાયબ ચીટનીશ શાખામાં હાજર રહેશે. જ્‍યારે 178-ધરમપુર માટે મામલતદાર ધરમપુર, 179-વલસાડ માટે મામલતદાર વલસાડ (સીટી), 180-પારડી માટે મામલતદાર પારડી, 181-કપરાડા માટે મામલતદાર કપરાડા, અને 182-ઉમરગામ માટે મામલતદાર ઉંમરગામની નિંમણૂંક કરવામાં આવી છે. આ સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ મામલતદાર કચેરી ધરમપુર, મામલતદાર કચેરી વલસાડ, મામલતદાર કચેરી પારડી, મામલતદાર કચેરી કપરાડા અને મામલતદાર કચેરી ઉંમરગામ ખાતે કાર્યરત કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ સીંગલ વિન્‍ડો સીસ્‍ટમના નોડલ અધિકારીઓને નીચે મુજબની શરતોને આધિન કામગીરી કરવા માટે જણાવાયું છે
(1) સંગલ વિન્‍ડો સિસ્‍ટમની કામગીરી અર્થે કામગેરીના પ્રકાર અને ભારણને ધ્‍યાનમાં રાખી જે તે કચેરીના કર્મચારી ગણનો ઉપયોગ કરવાનો રહેશે.
(2) પરવાનગી માગતા રાજકીય પક્ષ/ઉમેદવારો પાસેથી કાર્યક્રમના ઓછામાં ઓછા 48 કલાક પહેલા સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની નિયત નમુનામાં અરજી મેળવવાની રહેશે.
(3) એક થી વધુ કાર્યક્રમ (EVENT) માટે અલગ અલગ અરજી મેળવવાની રહેશે કોઇ વિધાનસભા મતવિસ્‍તારના કાર્યક્રમની મંજુરી માટે એકથી વધુ જિલ્લા વિધાનસભા મતવિસ્‍તાર સમાવિષ્ટ થતાં હોય તો તે દરેક જિલ્લા વિધાનસભા મતવિસ્‍તાર માટે અલગ અલગ અરજીઓ મેળવવાની રહેશે.
(4) પ્રાપ્ત થયેલ અરજીઓ પરત્‍વે દરેક તબક્કે આપવામાં આવેલ આખરી મંજુરી નિર્ણયની તારીખ અને સમય દર્શાવતું રેકર્ડ રાખવા માટે એક અલગ રજીસ્‍ટર (લોગબુક) જાળવવાનું રહેશે.
(5)નોડલ અધિકારીએ અરજી મળ્‍યાના 3 કલાકમાં અગ્નિ શમન, જમીન-માલિક એજન્‍સીઓમાં અને મ.વિભાગ, પોલીસ વગેરે સબંધિત તમામ વિભાગો પાસેથી, જો કોઇ જરૂરી મંજુરી મેળવવી જરૂરી હોય તો તે મેળવી, રાજકીય પક્ષને પરવાનગી આપશે.
(6)મળેલ અરજીઓ પરત્‍વે”First come First served” ના આધારે મંજૂરીઓ આપવાની રહેશે.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment