September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

છેલ્લા 6 વર્ષથી પ્રદેશની એક પણ સડક નહીં બની હોવાની આઝાદી પછીની પહેલી ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના અત્‍યંત બિસ્‍માર બનેલા રસ્‍તાઓના મુદ્દાને સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે દેશની લોકસભામાં ઉઠાવ્‍યો હતો. સાથે કેટલીક મૂળભૂત સુવિધાઓ માટેની રજૂઆતો પણ ભારત સરકારના સંબંધિત મંત્રાલયોમાં કરવામાં આવી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રદેશના રસ્‍તાઓની ખરાબ હાલતને કારણે જે સ્‍થિતિ ઉદ્‌ભવી છે તેની લોકસભામાં જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, છેલ્લા 6 વર્ષથી ખરાબ રસ્‍તાઓ અને અંધાધૂંધ ખોદકામને કારણે પ્રદેશની જનતા ભારેમુસીબતોનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્ર પાસે ચોમાસુ નજીક હોવાની જાણકારી હતી તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંભીરતા દાખવી નહીં હતી અને ડિવાઈડરોને સામા ચોમાસાએ હટાવી દેવાની જરૂર જ ન હતી. જેના કારણે આજે સ્‍થિતિ બદથી બદતર થઈ ગઈ છે. શહેરની સાથે ગામડાઓની સડકો પર પડેલા મોટા મોટા ખાડાઓ દિનપ્રતિદિન અકસ્‍માતો સર્જી રહ્યા છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. વાહનચાલકો તેમજ ખાસ કરીને શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રકારના ખતરાઓ વચ્‍ચે અવર જવર કરવા મજબૂર થઈ રહ્યા છે.
આઝાદી પછી પહેલી વાર એવું બન્‍યું છે કે છ છ વર્ષ વિતવા છતાં પ્રદેશની એકપણ સડક સારી રીતે બની નથી. પ્રશાસનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી એનું કોઈ જ સમાધાન લાવવામાં આવ્‍યું નથી. પ્રદેશની દરેક સડકોને ગુણવત્તાયુક્‍ત બનાવવાનો આદેશ જારી કરાવવા સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ભારત સરકારને આગ્રહ કર્યો છે. છેલ્લા છ વર્ષથી પ્રશાસન આ પ્રકારની મૂળભૂત સુવિધાઓને લઈ ગંભીર નહીં જણાતા પ્રજાની પિડાને દેશની સર્વોચ્‍ચ સદન સુધી લઈ જવાની સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને ફરજ પડી છે. સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દેશની લોકસભામાં ઉઠાવેલા મુદ્દાને પ્રદેશવાસીઓ સહર્ષ આવકારી રહ્યા છે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment