September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

નેહા કમલેશભાઈ પટેલએ પરીક્ષામાં નાપાસ થતા જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજે મંગળવારે ધો.12 સાયન્‍સની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ કરુણાજનક દુઃખદ ઘટના ઘટી હતી. વાઘછીપાની કિશોરી પરીક્ષામાં નાપાસ થતા પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી જીંદગીનો અંત આણી દીધો હતો.
પારડીના મોટા વાઘછીપાના હીરા ફળીયામાં રહેતી 16 વર્ષિય નેહા કમલેશભાઈ પટેલએ ધો.12 સાયન્‍સની રિપિટ પરીક્ષા આપી હતી. પરંતુ આજે જાહેર થયેલા પરિણામમાં નેહા નાપાસ થતા નિરાશાની ગર્તામાં ડૂબી ગઈ હતી. ચુપચાપ પાર નદીના નાના પુલ ઉપર પહોંચીને મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા ચન્‍દ્રપુર લાઈફ સેવર ટ્રસ્‍ટના તરવૈયા દોડી ગયા હતા. અથાગ મહેનત બાદ પણ નેહાને બચાવી શક્‍યા નહોતા. કરુણ ઘટનાની વાત વાયુવેગે પ્રસરી જતા અનેક વાલીઓ પણ ગ્‍લાનીમાં ડૂબી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાર નદીનો પુલ હોટ સરકીટ બની ચૂક્‍યો છે ત્‍યારે જાહેર સલામતિ માટે પોલીસ પ્રશાસને યોગ્‍ય આયોજન કરવું જોઈએ તેવી લોકોની તિવ્ર માંગણી ઉઠી છે. પ્રોટેકશન તથા પોલીસ પેટ્રોલીંગની જોગવાઈ કરવી જરૂરી છે. નેહા નાપાસ થતા જ જીંદગીની પરીક્ષા પણનાપાસ કરી હતી.

Related posts

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

Leave a Comment