(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસ કલેકટર શ્રી કેતન જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહી બે મિનીટ મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્યુ પામનાર નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ જગ્યાઓએ પણ દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Next Post