February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: રાજ્‍યમાં ચાલુ વર્ષે ખરીફ-2022 ઋતુમાં રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન થયું હતું. જે અંગે રાજ્‍ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ’ જાહેર કરવામાં આવ્‍યું છે.રાજ્‍યના 14 જિલ્લાઓના 2254 ગામો પૈકી નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર થાય છે . જેમાં જલાલપોર તાલુકાના 46, નવસારીના 62, ગણદેવીના 56, ખેરગામના 20, ચીખલીના 66 અને વાંસદા તાલુકાના 96 ગામોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે.
આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારો digitalgujarat પોર્ટલ પર ગ્રામ્‍ય કક્ષાએ VCA મારફત જરૂરી સાધનિક કાગળો જેવા કે તલાટીનો પાક વાવેતરનો દાખલો, 7-12 અને 8-અ ની નકલ, બેન્‍ક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ખેડૂત ખાતેદારનો મોબાઈલ નંબર સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચુકવણું કરવાનુ રહેશે નહિ. સંયુક્‍ત ખાતાધારકે સંમતિ પત્રક/કબૂલાતનામુ પણ સાથે જોડવાનુ રહેશે. ખેડૂતોએ આગામી તા.25 નવેમ્‍બર-2022 સુધી ગ્રામ પંચાયતકક્ષાએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે માટે ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્‍ટ મેળવી ખેડૂત ખાતેદારે સહી કરી અરજી ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કે ગ્રામ સેવકને આપવાની રહેશે.
જે ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરેલી હશે તેવા ખેડૂતોને જ કૃષિ રાહત પેકેજનો લાભ મળવા પાત્ર થશે. નવસારી જિલ્લાના ખેડૂતો કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માંગતા હોયતો તેઓએ સાધનિક કાગળો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ સેવક, તાલુકા વિસ્‍તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

યુપીએ સરકારના સમયમાં થયેલ અને મોદી સરકારમાં ઉદ્‌ઘાટન પામેલ વિકાસ કામમાં ગોબાચારી સામે આવી દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્‍લેબના સળિયા દેખાવા લાગ્‍યા

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment