April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.02 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 3જી નવેમ્‍બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હીમાં સવારે 11 વાગ્‍યે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી CVCના નવા ફરિયાદ વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ પોર્ટલને લોન્‍ચ કરશે. પોર્ટલની કલ્‍પના નાગરિકોને તેમની ફરિયાદોની સ્‍થિતિ અંગેનિયમિત અપડેટ દ્વારા અંતથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તે એથિક્‍સ એન્‍ડ ગુડ પ્રેક્‍ટિસીસ; જાહેર પ્રાપ્તિ પર ‘પ્રિવેન્‍ટિવ વિજિલન્‍સ’ અને વિશેષ અંક VIGEYE-VANI” પર શ્રેષ્ઠ પ્રયાસોનાં સંકલન પર સચિત્ર પુસ્‍તિકાઓની શ્રેણી પણ બહાર પાડશે. જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને સાથે લાવવા માટે CVC દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું અવલોકન કરે છે. આ વર્ષે, તે 31મી ઓક્‍ટોબરથી 6ઠ્ઠી નવેમ્‍બર સુધી નીચેની થીમ ‘વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્‍ત ભારત’ સાથે મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્‍ત થીમ પર CVC દ્વારા આયોજિત રાષ્ટ્રવ્‍યાપી નિબંધ સ્‍પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપશે.

Related posts

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

Leave a Comment