July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.02 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 3જી નવેમ્‍બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હીમાં સવારે 11 વાગ્‍યે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી CVCના નવા ફરિયાદ વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ પોર્ટલને લોન્‍ચ કરશે. પોર્ટલની કલ્‍પના નાગરિકોને તેમની ફરિયાદોની સ્‍થિતિ અંગેનિયમિત અપડેટ દ્વારા અંતથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તે એથિક્‍સ એન્‍ડ ગુડ પ્રેક્‍ટિસીસ; જાહેર પ્રાપ્તિ પર ‘પ્રિવેન્‍ટિવ વિજિલન્‍સ’ અને વિશેષ અંક VIGEYE-VANI” પર શ્રેષ્ઠ પ્રયાસોનાં સંકલન પર સચિત્ર પુસ્‍તિકાઓની શ્રેણી પણ બહાર પાડશે. જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને સાથે લાવવા માટે CVC દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું અવલોકન કરે છે. આ વર્ષે, તે 31મી ઓક્‍ટોબરથી 6ઠ્ઠી નવેમ્‍બર સુધી નીચેની થીમ ‘વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્‍ત ભારત’ સાથે મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્‍ત થીમ પર CVC દ્વારા આયોજિત રાષ્ટ્રવ્‍યાપી નિબંધ સ્‍પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપશે.

Related posts

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં નેહરૂ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા બ્‍લોક સ્‍તરીય રમત-ગમત સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment