September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

તમામ સભ્‍યો ઈ-બસની આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા, ઘોંઘાટ વગરનું પરિવહન, એ.સી.ની યોગ્‍ય વ્‍યવસ્‍થા તથા શિષ્‍તબદ્ધ સંચાલનથી ખુબ જ પ્રભાવિત થઈ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને પ્રદૂષણ મુક્‍ત લક્‍ઝરિયસ બસ સેવા શરૂ કરવા બદલ દિલથી માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તાજેતરમાં યોજાયેલ રોજગાર મેળાના સમારંભમાં સ્‍માર્ટ સીટી સેલવાસ દ્વારા શરૂ કરાયેલ ઈ-બસની સુવિધાનો લાભ લઈ મુસાફરોને પણ સ્‍વચ્‍છતાની બાબતમાં જાગૃત કરવા આપેલી સલાહના પગલે આજે દમણ જિલ્લા પંચાયતનાપ્રમુખ શ્રી નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિલ્લા પંચાયતના સભ્‍યોએ જમ્‍પોર સુધી એ.સી. ઈ-બસની સફરનો લ્‍હાવો લીધો હતો.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન હળપતિ, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રી સદાનંદભાઈ મીટના અને શ્રી યોગેશભાઈ પટેલ ઈ-બસની સફરમાં જોડાયા હતા. તમામ સભ્‍યો ઈ-બસની આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા, ઘોંઘાટ વગરનું પરિવહન, એ.સી.ની યોગ્‍ય વ્‍યવસ્‍થા તથા શિષ્‍તબદ્ધ સંચાલનથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી તથા પ્રદેશ માટે પ્રદૂષણ મુક્‍ત લક્‍ઝરિયસ બસ સેવા શરૂ કરવા બદલ દિલથી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

Leave a Comment