March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: નવા શૈક્ષણિક સત્ર (2023-24)નો સોમવારથી શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્‍યમ શાળા સલવાવ ખાતે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે બાળકોના આગમન અને તેમના નવા સત્રની શરૂઆત માટે સંસ્‍થા દ્વારાબ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ માઁ સરસ્‍વતી પૂજન અને યજ્ઞનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં બેસીને યજ્ઞની સમીધ પૂર્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ, શ્રીમતી જયશ્રીબેન યોગીનીબેન અને માનનીય આચાર્ય મેડમ મીનલ દેસાઈ અને શિક્ષકોએ આ યજ્ઞમાં ભાગ લઈ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ યજ્ઞનો હેતુ એ હતો કે આ દ્વારા બાળકોમાં શુદ્ધ વિચારો અને નવી ઉર્જાનો સંચાર થાય. બ્રાહ્મણને અનુસરીને બાળકોએ શ્‍લોકોનું પઠન કરીને યજ્ઞમાં ભાગ લીધો, બધા બાળકો ખૂબ જ ઉત્‍સાહિત જણાતા હતા. અંતમાં પ્રિન્‍સિપાલએ તમામ બાળકોને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

Leave a Comment