October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: નવા શૈક્ષણિક સત્ર (2023-24)નો સોમવારથી શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્‍યમ શાળા સલવાવ ખાતે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે બાળકોના આગમન અને તેમના નવા સત્રની શરૂઆત માટે સંસ્‍થા દ્વારાબ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ માઁ સરસ્‍વતી પૂજન અને યજ્ઞનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં બેસીને યજ્ઞની સમીધ પૂર્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ, શ્રીમતી જયશ્રીબેન યોગીનીબેન અને માનનીય આચાર્ય મેડમ મીનલ દેસાઈ અને શિક્ષકોએ આ યજ્ઞમાં ભાગ લઈ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ યજ્ઞનો હેતુ એ હતો કે આ દ્વારા બાળકોમાં શુદ્ધ વિચારો અને નવી ઉર્જાનો સંચાર થાય. બ્રાહ્મણને અનુસરીને બાળકોએ શ્‍લોકોનું પઠન કરીને યજ્ઞમાં ભાગ લીધો, બધા બાળકો ખૂબ જ ઉત્‍સાહિત જણાતા હતા. અંતમાં પ્રિન્‍સિપાલએ તમામ બાળકોને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment