January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

સંઘપ્રદેશ પ્રશાસનમાં પટાવાળાથી શરૂ કરી યુડીસી તરીકે 40 વર્ષ સુધી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરી સેવા નિવૃત્ત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: સંઘપ્રદેશ પ્રશાસનમાં 40 વર્ષની સુદીર્ઘનોકરી પટાવાળા(પ્‍યુન)થી શરૂ કરી છેલ્લે અપર ડિવીઝન ક્‍લાર્ક (યુડીસી) તરીકે વયમર્યાદાના કારણે શ્રી અમ્રતભાઈ હળપતિ નિવૃત્ત થતાં તેમને સ્‍ટાફ દ્વારા સ્‍નેહાળ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
આજથી બરાબર 40 વર્ષ પહેલાં ગોવા ખાતે નગરપાલિકા નિર્દેશાલયમાં એક પટાવાળા તરીકે પોતાની નોકરીની શરૂઆત કરનારા 9મું ધોરણ ભણેલા શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાની લગન, નિષ્‍ઠા અને કર્મઠતાથી ફરજ બજાવવાની સાથે અભ્‍યાસ કરી એસ.એસ.સી. પણ પાસ થયા હતા.
ગોવાથી દમણ અને દીવમાં સીટી સર્વે ઓફિસ, બીડીઓ, કોલેજ અને છેલ્લે વેટરનરી ઓફિસ ખાતે યુડીસી તરીકે ફરજ બજાવતા તેઓ ગત તા.31મી ઓક્‍ટોબરે વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયા હતા. સેવા નિવૃત્તિના સમયે વેટરનરી ઓફિસના ઈન્‍ચાર્જ ડો. વિજયસિંહ પરમાર તથા સ્‍ટાફે તેમને ખુબ જ ભાવભર્યું વિદાયમાન આપ્‍યું હતું અને તેમણે બજાવેલી નિષ્‍ઠાપૂર્વકની ફરજને યાદ કરાઈ હતી.
શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાના નિવૃત્તિ બાદનો સમય દમણના આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવવા પસાર કરવાના હોવાનું ‘વર્તમાન પ્રવાહ’ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

Related posts

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment