Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

સંઘપ્રદેશ પ્રશાસનમાં પટાવાળાથી શરૂ કરી યુડીસી તરીકે 40 વર્ષ સુધી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી નોકરી કરી સેવા નિવૃત્ત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: સંઘપ્રદેશ પ્રશાસનમાં 40 વર્ષની સુદીર્ઘનોકરી પટાવાળા(પ્‍યુન)થી શરૂ કરી છેલ્લે અપર ડિવીઝન ક્‍લાર્ક (યુડીસી) તરીકે વયમર્યાદાના કારણે શ્રી અમ્રતભાઈ હળપતિ નિવૃત્ત થતાં તેમને સ્‍ટાફ દ્વારા સ્‍નેહાળ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
આજથી બરાબર 40 વર્ષ પહેલાં ગોવા ખાતે નગરપાલિકા નિર્દેશાલયમાં એક પટાવાળા તરીકે પોતાની નોકરીની શરૂઆત કરનારા 9મું ધોરણ ભણેલા શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાની લગન, નિષ્‍ઠા અને કર્મઠતાથી ફરજ બજાવવાની સાથે અભ્‍યાસ કરી એસ.એસ.સી. પણ પાસ થયા હતા.
ગોવાથી દમણ અને દીવમાં સીટી સર્વે ઓફિસ, બીડીઓ, કોલેજ અને છેલ્લે વેટરનરી ઓફિસ ખાતે યુડીસી તરીકે ફરજ બજાવતા તેઓ ગત તા.31મી ઓક્‍ટોબરે વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયા હતા. સેવા નિવૃત્તિના સમયે વેટરનરી ઓફિસના ઈન્‍ચાર્જ ડો. વિજયસિંહ પરમાર તથા સ્‍ટાફે તેમને ખુબ જ ભાવભર્યું વિદાયમાન આપ્‍યું હતું અને તેમણે બજાવેલી નિષ્‍ઠાપૂર્વકની ફરજને યાદ કરાઈ હતી.
શ્રી અમ્રતભાઈ હળપતિએ પોતાના નિવૃત્તિ બાદનો સમય દમણના આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવવા પસાર કરવાના હોવાનું ‘વર્તમાન પ્રવાહ’ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

Related posts

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો

vartmanpravah

26મી જાન્‍યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્‍ય પથ, નવી દીલ્‍હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્‍વયંસેવકોની પસંદગી

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

vartmanpravah

Leave a Comment