April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.03
ઉમરગામ તાલુકા પંચાયતના સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી સહદેવભાઈ વઘાતે આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને સભ્‍યપદ પરથી દૂર થવા રાજીનામુ આપ્‍યું છે.
શ્રી સહદેવભાઈ વધાતે તાજેતરમાં યોજાયેલી સરીગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી છે. ગુજરાત પંચાયત ધારાની કલમ 29 (3) મુજબ શ્રી સહદેવભાઈ વઘાતે કોઈપણ એક હોદ્દાનો ફરજીયાત ત્‍યાગ કરવો જરૂરી છે. જેથી આજરોજ સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા શ્રી રાકેશભાઈ રાય અને સરપંચની ચૂંટણીમાં જીત મેળવવામાં અહમ ભૂમિકા ભજવનાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્‍ય શ્રી વિનોદભાઈ ઠાકોરની ઉપસ્‍થિતિ સાથે શ્રી સહદેવભાઈ વધાતે તાલુકા પંચાયત સભ્‍યપદ ઉપરથી રાજીનામું આપ્‍યું હતું.
શ્રી સહદેવભાઈ વધાત તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસના પ્રતીક ઉપર જીતી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં માત્ર બે બેઠક પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો. જેમાંથી આજરોજ એક સભ્‍યએ રાજીનામુ આપતા હવે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની એક બેઠક રહી જવા પામી છે.
શ્રી સહદેવભાઈ વધાતે આપેલા રાજીનામાની જાણકારી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરશ્રી વલસાડ અને તલાટી કમમંત્રીશ્રી સરીગામને કરી દેવામાં આવી છે.

Related posts

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

Leave a Comment