September 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

કામના સ્‍થળોએ મહિલાઓની થતી જાતિય સતામણી અંગે કાનૂની જાગૃતિ બાબતે સિનિયર એડવોકેટ એસ.એસ.મોડાસિયાએ ઉપસ્‍થિત લોકોને આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી ભીમપોરસ્‍થિત કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં ગત રવિવારે સવારે 10:30 કલાકે કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જ્‍યુડિશિયલ સિવિલ જજ અને જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ, દમણના શ્રી જે.જે. ઈનામદારે મહિલાઓ સામેના ગુના માટે કાયદાકીય જાગૃતિ બાબતે સુંદર માહિતી આપી હતી. દમણના સિનિયર ખ્‍યાતનામ એડવોકેટ શ્રી એસ.એસ.મોડાસિયાએ કામના સ્‍થળે મહિલાઓની થતી જાતિય સતામણી અંગે જાગૃતિ હેતુ ઉપસ્‍થિતોને ખુબ જ રસપ્રદ શૈલીમાં જાણકારી આપી હતી.
પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી સોહિલ જીવાણીએ પણ પોક્‍સો એક્‍ટ અંગે કાનૂની જાગૃતતા બાબતે સમજણ આપી હતી. આ કાનૂની જાગૃતિ શિબિરમાં ખુબ જ મોટી સંખ્‍યામાં ઈન્‍ડસ્‍ટ્રીઝોમાં કામ કરતા અને ચાલીઓ તથા આજુબાજુના વિસ્‍તારમાં રહેતા નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાનૂની જાગૃતતા કાર્યક્રમ શરૂઆતમાં એવોકેટ શ્રીમતી અલ્‍પા મોદીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભાર વિધિ પણ એડવોકેટ શ્રીમતી અલ્‍પા મોદીએ આટોપી હતી.

Related posts

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડની ગૃહિણીએ વર્લ્‍ડ પાવર લિફટીંગ ચેમ્‍પિયનશીપ રશીયામાં બે ગોલ્‍ડ-ત્રણ સિલ્‍વર મેડલ મેળવી વર્લ્‍ડ રેકોર્ડ નોંધાવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

Leave a Comment