September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તકનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા દીકરીઓને ધ્‍યાનમાં લઈ જાણીતા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરના વક્‍તવ્‍યનું વિદ્યાલક્ષ્મી કન્‍યા છાત્રાલય, કાંજણ રણછોડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંસ્‍થામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારની ઘરપરિવારથી દૂર રહી અભ્‍યાસ કરતી લગભગ 60 જેટલી દીકરીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. વક્‍તવ્‍યમાં ડૉ. યોગિની રોલેકરે માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્‍યાઓ તથા ‘ગુડ ટચ તેમજ બેડ ટચ’ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી. તેમને હાઈજેનિક બાબતોનો સાચો ખ્‍યાલ આપવામાં આવ્‍યો હતો. વક્‍તવ્‍યના અંતે પ્રશ્નોત્તરી દ્વારા દીકરીઓને નાનીમોટી સમસ્‍યાઓ, માન્‍યતાઓનું નિરાકરણ થયું સાથે મેડિકલ સાયન્‍સની સાચી સમજ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમમાં દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તક વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ વલસાડ જા. તસનીમ કાપડીઆ દ્વારા 90 કિલો જેટલાં ઘઉં આપવામાં આવ્‍યાં હતા.
છાત્રાલય સંસ્‍થાના સંચાલકશ્રી અજીતભાઈ પટેલ તથા જાયન્‍ટ્‍સ ગ્રુપના પ્રમુખ ડો. આશા ગોહિલ દ્વારા આયોજિત વક્‍તવ્‍યમાં જા. હાર્દિક પટેલ, જા.જગદીશ આહીર, જા. અર્ચના ચૌહાણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

Leave a Comment