Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને જારી કરેલો આદેશ

દાનિપ્‍સ અધિકારી રજનીકાંત અવધિયાની પણ અંદામાન બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાંદિલ્‍હીથી દાનિક્‍સ અધિકારીઓ અમિત કુમાર પમાસી, પુનિતકુમાર પટેલ અને મરાઠે ઓંકાર ગોપાલની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત દાનિક્‍સ અને દાનિપ્‍સ અધિકારીઓની બદલીઓના આદેશ પણ આજે જારી કર્યા હતા. જેમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કાર્યરત દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા, શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી મોહિત મિશ્રાનો પણ સમાવેશ થાય છે.
2013 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને 2012 બેચના શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍યની અંદામાન અને નિકોબાર અને 2013 બેચના શ્રી મોહિત મિશ્રાની દિલ્‍હી બદલીનો આદેશ જારી કરાયો છે.
2009 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અમિત કુમાર પમાસી, 2012 બેચના શ્રી પુનિતકુમાર પટેલ અને 2008 બેચના શ્રી મરાઠે ઓંકાર ગોપાલની દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના દાનિપ્‍સ અધિકારી શ્રી રજનીકાંત અવધિયાની અંદામાન અને નિકોબાર અને દિલ્‍હીથી 2011 બેચના સુશ્રી તનુ શર્માની દાનહ અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.

Related posts

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી મંગળ અને બુધવારે દમણ-સેલવાસમાં સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાનો જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પ

vartmanpravah

Leave a Comment