Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તકનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા દીકરીઓને ધ્‍યાનમાં લઈ જાણીતા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરના વક્‍તવ્‍યનું વિદ્યાલક્ષ્મી કન્‍યા છાત્રાલય, કાંજણ રણછોડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંસ્‍થામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારની ઘરપરિવારથી દૂર રહી અભ્‍યાસ કરતી લગભગ 60 જેટલી દીકરીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. વક્‍તવ્‍યમાં ડૉ. યોગિની રોલેકરે માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્‍યાઓ તથા ‘ગુડ ટચ તેમજ બેડ ટચ’ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી. તેમને હાઈજેનિક બાબતોનો સાચો ખ્‍યાલ આપવામાં આવ્‍યો હતો. વક્‍તવ્‍યના અંતે પ્રશ્નોત્તરી દ્વારા દીકરીઓને નાનીમોટી સમસ્‍યાઓ, માન્‍યતાઓનું નિરાકરણ થયું સાથે મેડિકલ સાયન્‍સની સાચી સમજ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમમાં દીકરીઓને સેનેટરી નેપકીન્‍સ તથા જાગૃતિ અંગેના પુસ્‍તક વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ વલસાડ જા. તસનીમ કાપડીઆ દ્વારા 90 કિલો જેટલાં ઘઉં આપવામાં આવ્‍યાં હતા.
છાત્રાલય સંસ્‍થાના સંચાલકશ્રી અજીતભાઈ પટેલ તથા જાયન્‍ટ્‍સ ગ્રુપના પ્રમુખ ડો. આશા ગોહિલ દ્વારા આયોજિત વક્‍તવ્‍યમાં જા. હાર્દિક પટેલ, જા.જગદીશ આહીર, જા. અર્ચના ચૌહાણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment