September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપી હોટલ આનંદ ઈન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં મુખ્‍ય અતિથિ તરીકે બિહાર (દિધા)ના ધારાસભ્‍ય અને ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના સહપ્રભારી શ્રી સંજીવ ચૌરસીયા અને અતિથિ તરીકે વેલસ્‍પન ઈન્‍ડિયા લિમિટેડના ડિરેક્‍ટર શ્રી સંજય કાંગો, અરવિંદ સિંહ હિન્‍દી ભાષાના મહામંત્રી, હરિયા હોસ્‍પિટલના ડો. એસ.એસ. સિંહ, વલસાડ જિલ્લા ભાજપ નેતા મુકેશસિંહ ઠાકુર અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના તમામ હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પ, શાલ અને મોમેન્‍ટો આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલ શ્રી સંજીવ ચૌરસિયાએ જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દરેક દુઃખ અને સુખમાં સમાજની સાથે રહે છે. એટલા માટે અમે તમારી વચ્‍ચે આવ્‍યા છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈમોદી સમગ્ર દેશમાં કરેલા કાર્યો વિશે જણાવ્‍યું હતું. બિહાર વેલ્‍ફેર એસોસિએશનના પ્રમુખ બિપુલ સિંહે જણાવ્‍યું કે શ્રી કનુભાઈ દેસાઈ હંમેશા આપણા ઉત્તર ભારતીય સમાજ માટે કોઈપણ કાર્ય માટે ઉભા છે અને હંમેશા અમારી સાથે છે. તેમનું સારું કામ જોઈને આપણે ઉત્તર ભારતીય સમાજ તેમની સાથે છીએ. અમારી સંસ્‍થાના ચેરમેન ડૉ.કે.પી.સિન્‍હા ઉપસ્‍થિત રહ્યા હતા. બિહાર વેલ્‍ફેર એસોસિએશનના સેક્રેટરી પ્રમોદ સિંહ, ઉપપ્રમુખ એન.કે.સિંઘ, મહિલા મોરચાના પ્રમુખ સુનિતા તિવારી, કાનૂની સલાહકાર શ્રી રવિન્‍દ્ર નાથ પાંડે, સહ-સચિવ શિવકાંત ઝા અને પ્રવક્‍તા અઝહરભાઈ, જી.એન. ઝા, કોષાધ્‍યક્ષ અભયસિંહ, સુનિલ સિંહ, સંગઠન મહામંત્રી સુધીર સિંહ, સંગઠન સહ મંત્રી સુબોધસિંહ અને બિહાર વેલ્‍ફેર એસોસિએશનના તમામ સભ્‍યો હાજર રહ્યા હતા અને જણાવ્‍યું હતું કે, બિહાર વેલ્‍ફેર એસોસિએશન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહેશે.

Related posts

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment