સલવાવ ગુરૂકુળ પાસેથી વહેતી બિલખાડીનું પ્રદૂષિત પાણી બાળકો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી ઔદ્યોગિક વિસ્તાર અને ગુંજન ટાઉનશીપ મધ્યે વહી રહેલી બિલખાડીમાં વહી રહેલ પ્રદૂષિત પાણીમાં ખૂબ બુમાબુમ અને કીકીયારીઓ વારંવાર ઉઠી રહી છે, તેમ છતાં રામ તેરી ગંગા મેલી જેવો ઘાટ આજદિન સુધી બિલખાડી માટે યથાવત્ રહ્યો છે.
વાપી થર્ડ ફેઈઝ, ફોર્થ ફેઈઝથી લઈ બલીઠા સલવાવ સુધી વહી રહેલ બિલખાડી બેફામ પ્રદૂષિત પાણીના વહેણ માટે કુખ્યાત બની ચૂકી છે. હજારોવાર તેના ઉપાયો સુધારણા માટે અનેક ખર્ચાઓ, પગલાંઓ લીધા હોવાના દવાઓ થતાં રહ્યા છે. પરંતુ બિલખાડીમાં આજે પણ એટલું જ પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. સલવાવ ગુરૂકુળની દિવાલને લગોલગ બિલખાડીનું પ્રદૂષિત પાણી ગેરકાયદે વહી રહ્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે તેટલું જ જોખમી આ પ્રદૂષિત પાણી બનીરહેલ છે. જીપીસીબી, પ્રશાસન અને વીઆઈએ હજુ સુધી બિલખાડીનું શુદ્ધ સ્વરૂપ આપી નથી શક્યા જે વાપી માટે બિલખાડી કલંકિત સાબિત થઈ આવી છે અને ક્યાં સુધી કલંકિત રહેશે તેવા સવાલનો જવાબ આજ સુધી મળ્યો નથી.