Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.31: મુખ્‍યમંત્રી તથા મહેસૂલી તપાસણી કમિશનર મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા ગામે ગામ રાત્રી સભા યોજી તેમાં ઉપસ્‍થિત થતા પ્રશ્નોનો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખવા જણાવ્‍યું છે. જે અનુસંધાને નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્‍યક્ષતામાં ગણદેવી તાલુકાના એંધલ ગામખાતે રાત્રિ સભા યોજાઈ જેમાં મોટાભાગના પ્રશ્નો સ્‍થળ ઉપર ઉકેલાયા. શિક્ષણ, આરોગ્‍ય પશુ પાલન, વીજપુરવઠો, વગેરે જેવા ગ્રામજનોના ઉપસ્‍થિત થતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી અને તમામ ખાતાના હાજર રહેલા અધિકારીઓ દ્વારા આ સભામાં જ પ્રશ્નોના નિકાલ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
આ રાત્રી સભામાં નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પોતાના ઉદબોધનમાં ગ્રામજનની સુખાકરી માટે દરેક યોજનાએ સંકલનમાં રહી કામગીરી કરવા દરેક વિભાગના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી. આ સાથે શિક્ષણના કે કોઈ પણ અન્‍ય પ્રશ્નોનો ગ્રામજનોની સુખાકારી માટે પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ સાથે પશુ દવાખાના કે પશુ ડોક્‍ટરોને લઈને પણ યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માટે તાકીદ કરાઈ હતી.
આ રાત્રી સભા પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, પ્રાંત અધિકારી ચીખલી શ્રી અમિત ચૌધરી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નવસારી શ્રી એમ.એસ.ગઢવી, સરપંચશ્રી કલાબેન મયંકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment