Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાથી તેમના સ્‍થાને આરડીસી તરીકે 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરની નિયુક્‍તિ કરવાનો આજે આદેશ કરાયો છે.
શ્રી પ્રિયાંક કિશોરને આરડીસી સેલવાસ ઉપરાંત દાનહના સહાયક વિકાસ આયુક્‍ત, દાનહના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ તથા પબ્‍લિક ગ્રિવેન્‍સિસ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજર, દાનહના ચીફ પબ્‍લીસીટી ઓફિસર, દાનહના વેટ અને જીએસટી તથા લેબર અનેએમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના ડેપ્‍યુટી કમિશનર, દાનહના એમ્‍પલોયમેન્‍ટ ઓફિસર તથા દાનહના ચીફ ટાઉન પ્‍લાનાર/એસોસિએટ ટાઉન પ્‍લાનર અને દાનહ પીડીએના મેમ્‍બર સેક્રેટરી તરીકેની પણ જવાબદારી નિભાવશે.
દાનિક્‍સ અધિકારી શ્રી કરણજીત વાડોદરિયાને સ્‍માર્ટ સીટી મિશન સેલવાસના સી.ઈ.ઓ. અને દાનહ ઓઆઈડીસીના જનરલ મેનેજર તરીકેનો વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.
પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી સુશ્રી હિમાની મીણાને ખાનવેલના આરડીસી તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment