June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

બી.એ.પી.એસ. સંસ્‍થા પ્રમુખ સ્‍વામિ મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દી ઉજવણી અંતર્ગત સમાજ સેવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરતમાં હોસ્‍પિટલ કાર્યરત છે. સંસ્‍થા પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દીની ઉજવણી કરી રહેલ છે તેથી સમગ્ર ગુજરાત ભરમાં બી.એ.પી.એસ. દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિના આયોજન થઈ રહ્યા છે તે અંતર્ગત સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું મફત ઓપરેશન કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જોઈન્‍ટ રિપ્‍લેશમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દક્ષિણ ગુજરાતના ઘુંટણના દર્દી કે સાંધાથી પીડીત દર્દીઓબી.એ.પી.એસ. હોસ્‍પિટલનો સંપર્ક કરી મફત ઓપરેશનનો લાભ લઈ શકે છે. જે દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા ઈચ્‍છતી હોય તેઓએ બી.એ.પી.એસ. સુરત હોસ્‍પિટલમાં ડો.રિચેશ કાપડીયાનો સંપર્ક કરી નામ નોંધાવવું જરૂરી છે. હોસ્‍પિટલ નં.(0261) 2781000 મોબાઈલ નં.987964 4144 તથા 987964 4424 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં સહભાગી થવા દક્ષિણ ગુજરાતની અંદાજિત ૩ લાખથી વધુની જનમેદની ઉમટી પડશે

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

Leave a Comment