March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં રખડતા કૂતરાઓની સંખ્‍યામાં ઘણો વધારો થયો હોવાને કારણે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોની પાછળ દોડી કરડવાનો પ્રયાસ કરતા હોવાને કારણે ડોગ બાઈટની ઘટનાઓ પણ વધી છે. કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા દાનહમાં કૂતરાઓની સંખ્‍યાને નિયંત્રિત કરવા માટે પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા નસબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમ ચલાવવામા આવી રહ્યો છે. પરંતુ તે ફક્‍ત કાગળ ઉપર જ ચાલતો હોવાનું દેખાય રહ્યું છે. કારણ કે કૂતરાઓની નશબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમો સમયસર ચલાવાતા હોવા છતાં કૂતરાઓની સંખ્‍યા દિન-પ્રતિદિન વધતી જ રહે છે. ત્‍યારે નશબંધી અને ગર્ભનિરોધક પાછળ થતાં ખર્ચાનો કયાશ પણ કાઢવો જોઈએ એવી માંગ પ્રબળ બની રહી છે.
દરમિયાન, વિભાગ દ્વારા ત્રણ ઓપરેશન થિયેટર બનાવવામા આવ્‍યા છે અને એ માટે નવ ડોક્‍ટરોની નિયુક્‍તિ કરવામા આવી છે.જીપીએસ ટેગિંગ કરી કૂતરાઓને પ્રશિક્ષિત લોકો દ્વારા પકડવામા આવે છે જેઓને સર્જરી બાદ ફરી એજ સ્‍થાને પાછા છોડી દેવામા આવે છે. દરરોજ અંદાજીત 30થી 40 કૂતરાઓને પકડીને હાસ્‍પિટલમા લાવવામા આવે છે.
પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા સ્‍વચ્‍છ પશુ આશ્રર્યસ્‍થાનોબનાવવામા આવ્‍યા છે જ્‍યા શ્વાનને ચાર દિવસ સર્જરી પહેલા એક દિવસ અને ઓપરેશન પછીની સંભાળ માટે ત્રણ દિવસ રાખવામા આવે છે.કૂતરાઓને દિવસમા બે વખત પૌષ્ટિક અને આરોગ્‍યપ્રદ ખોરાક આપવામા આવે છે. સાથે સાથે જરૂરી દરેક કાળજી પણ રાખવામા આવે છે આ યોજના 20 દિવસ સુધી ચાલશે અને પંચાયતોને પણ આ યોજનામા સામેલ કરવામા આવશે.
કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા પશુપાલન વિભાગ અને પાલિકા આ કામગીરી કરી રહ્યુ છે. અત્‍યાર સુધીમા 40 કૂતરાઓનુ સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્‍યુ છે. દાનહના તમામ રખડતા કૂતરા માટે નશબંધીની આ યોજના ચલાવવામા આવશે.

Related posts

પ્રધાનમંત્રીશ્રીની લક્ષદ્વીપ મુલાકાતના બીજા દિવસે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ‘લક’ને લાગેલા ચાર ચાંદઃ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

Leave a Comment