April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

બી.એ.પી.એસ. સંસ્‍થા પ્રમુખ સ્‍વામિ મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દી ઉજવણી અંતર્ગત સમાજ સેવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરતમાં હોસ્‍પિટલ કાર્યરત છે. સંસ્‍થા પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દીની ઉજવણી કરી રહેલ છે તેથી સમગ્ર ગુજરાત ભરમાં બી.એ.પી.એસ. દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિના આયોજન થઈ રહ્યા છે તે અંતર્ગત સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું મફત ઓપરેશન કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જોઈન્‍ટ રિપ્‍લેશમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દક્ષિણ ગુજરાતના ઘુંટણના દર્દી કે સાંધાથી પીડીત દર્દીઓબી.એ.પી.એસ. હોસ્‍પિટલનો સંપર્ક કરી મફત ઓપરેશનનો લાભ લઈ શકે છે. જે દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા ઈચ્‍છતી હોય તેઓએ બી.એ.પી.એસ. સુરત હોસ્‍પિટલમાં ડો.રિચેશ કાપડીયાનો સંપર્ક કરી નામ નોંધાવવું જરૂરી છે. હોસ્‍પિટલ નં.(0261) 2781000 મોબાઈલ નં.987964 4144 તથા 987964 4424 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment