Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

બી.એ.પી.એસ. સંસ્‍થા પ્રમુખ સ્‍વામિ મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દી ઉજવણી અંતર્ગત સમાજ સેવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરતમાં હોસ્‍પિટલ કાર્યરત છે. સંસ્‍થા પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દીની ઉજવણી કરી રહેલ છે તેથી સમગ્ર ગુજરાત ભરમાં બી.એ.પી.એસ. દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિના આયોજન થઈ રહ્યા છે તે અંતર્ગત સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું મફત ઓપરેશન કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જોઈન્‍ટ રિપ્‍લેશમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દક્ષિણ ગુજરાતના ઘુંટણના દર્દી કે સાંધાથી પીડીત દર્દીઓબી.એ.પી.એસ. હોસ્‍પિટલનો સંપર્ક કરી મફત ઓપરેશનનો લાભ લઈ શકે છે. જે દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા ઈચ્‍છતી હોય તેઓએ બી.એ.પી.એસ. સુરત હોસ્‍પિટલમાં ડો.રિચેશ કાપડીયાનો સંપર્ક કરી નામ નોંધાવવું જરૂરી છે. હોસ્‍પિટલ નં.(0261) 2781000 મોબાઈલ નં.987964 4144 તથા 987964 4424 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment