July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સેલવાસ ખાતે સામાજીક સદ્‌ભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં વિવિધ પ્રાંતોના અને વિવિધ સમાજના લોકોએ ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્‍ય અતિથિ બ્રહ્માકુમારી સુરેખાબેન અને મુખ્‍ય વક્‍તા તરીકે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શિક્ષણ ગતિવિધિના પ્રાંતના સદસ્‍ય શ્રી રમાકાંત યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્‍ય વક્‍તાશ્રીએ સમાજની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સમાજની ત્રુટિઓને સુધારી સમાજને સંગઠીત થવા માટે આહ્‌વાન કર્યું હતું અને દરેકને આગ્રહ કરવામાં આવ્‍યો હતો કે પરિવારો ખતમ થઈ રહ્યા છે જેને સુચારુ રૂપે એકત્રિત કરવા માટે એક દિવસ વગર મોબાઈલ પરિવાર સાથે બેસી વર્તમાન વિષયો ઉપર ચર્ચા કરવાનો આગ્રહ પણ કર્યો હતો. આ અવસરે સમાજના અગ્રણીઓ સાથે સંઘના કાર્યકર્તાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

Leave a Comment