April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સેલવાસ ખાતે સામાજીક સદ્‌ભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં વિવિધ પ્રાંતોના અને વિવિધ સમાજના લોકોએ ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્‍ય અતિથિ બ્રહ્માકુમારી સુરેખાબેન અને મુખ્‍ય વક્‍તા તરીકે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શિક્ષણ ગતિવિધિના પ્રાંતના સદસ્‍ય શ્રી રમાકાંત યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્‍ય વક્‍તાશ્રીએ સમાજની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સમાજની ત્રુટિઓને સુધારી સમાજને સંગઠીત થવા માટે આહ્‌વાન કર્યું હતું અને દરેકને આગ્રહ કરવામાં આવ્‍યો હતો કે પરિવારો ખતમ થઈ રહ્યા છે જેને સુચારુ રૂપે એકત્રિત કરવા માટે એક દિવસ વગર મોબાઈલ પરિવાર સાથે બેસી વર્તમાન વિષયો ઉપર ચર્ચા કરવાનો આગ્રહ પણ કર્યો હતો. આ અવસરે સમાજના અગ્રણીઓ સાથે સંઘના કાર્યકર્તાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

Leave a Comment