Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

દિવ્‍યાંગ બાળકોને વાલીઓ મેળામાં લઈ જવામાં સંકોચ અનુભવતા હોવાથી શાળા દ્વારા રાઈડ્‍સ પણ મંગાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13 : વલસાડના કૈલાસ રોડ પર બિસ્‍કિટવાળા કંપાઉન્‍ડની બાજુમાં જયના અનુપમ એન.પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિન તથા માનસિક વિકલાંગ દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
દિવ્‍યાંગ બાળકોને વાલીઓ કોઈ મેળામાં લઈ જવા તથા રાઈડ્‍સમાં બેસાડવા માટે સંકોચ અને ડર અનુભવતા હોય છે. પરંતુ આ બાળકો પણ રાઈડ્‍સની મજા માણી શકે તે માટે ખાસ કરીને ટેમ્‍પોલીન તથા ટોય ટ્રેનની રાઈડ્‍સ મંગાવવામાં આવી હતી. જેની દિવ્‍યાંગ બાળકોએ ભરપેટ મજા માણી હતી. પોતાના બાળકોના ચહેરા પર સ્‍મિત આવતા વાલીઓ અને શાળા પરિવારના સભ્‍યોના ચહેરા પણ ખીલી ઉઠ્‍યા હતા. બાળકોએ શિક્ષકો અને વાલીઓની મદદથી રાઈડ્‍સનો આનંદ માણ્‍યો હતો. જે જીવનભર યાદગાર રહ્યો હતો. બપોર પછી બાળકો પાસે ચિત્રકામ પણ કરાવવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ રંગબેરંગી કલરો ભરી અનેક ચિત્રોને આકર્ષક બનાવ્‍યા હતા. ઉજવણી -સંગેરાઈડ્‍સ અને ભોજનની તમામ વ્‍યવસ્‍થા ડો. ચેતનાબેન દાવડા તરફથી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં દક્ષેશભાઈ ઓઝા, પરસોત્તમભાઈ માકડિયા, ઉષાબેન ઓઝા અને મયુરભાઈ પટેલે હાજરી આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

Leave a Comment