જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર યોજાયો જાગૃતિ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) દમણ દ્વારા જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા’ એ મુખ્ય થીમ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર NIFT કેમ્પસ દમણમાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે NIFT કેમ્પસમાં જાગૃતિના સમયગાળા દરમિયાન, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને તમામ સ્ટાફે નાગરિકો માટે અખંડિતતાની પ્રતિજ્ઞા લઈને આ સંદેશને સ્વીકાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સંદીપ સચાન, SDAC ડૉ. રાહુલ કુશવાહા અને ટેક્સટાઇલ ડિઝાઇન વિભાગના પ્રમુખ ડૉ. પ્રવીણ ચવ્હાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ વિભાગોના ફેકલ્ટી સભ્યોએ પણ શપથલીધા હતા, જેનું વાંચન ફેશન મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના પ્રમુખ શ્રી વિધુ શેખર પી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટેક્સટાઇલ ડિઝાઇન, ફાઉન્ડેશન પ્રોગ્રામ અને ફેશન મેનેજમેન્ટ અભ્યાસના વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. અહીં ભેગાં થયેલા તમામ લોકોએ ભ્રષ્ટાચાર સામે ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી અને તેમના ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યા હતા.