July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના ખેડપા ગામમાં મુખ્‍ય ઉપર મહારાષ્ટ્રના મોટરસાયકલ સવાર સામ સામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળ પર જકમકમાટીભર્યા મોત થયા હતા જ્‍યારે બે વ્‍યક્‍તિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થતાં તેઓને સારવાર અર્થે તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ખેડપા ગામે અનિલભાઈ ખાંજોડિયાના ઘર નજીક સાંજના સમયે કમોસમી વરસેલા વરસાદમાં વાહનોની આવન-જાવન ચાલુ હતી તે દરમિયાન સામસામે જઈ રહેલ બે બાઈક સવારનું બેલેન્‍સ ખોરવાતા જોરદાર રીતે ટકરાયા હતા અને તેઓ રસ્‍તા ઉપર જોરથી પટકાયા હતા. આ ઘટના જોતા ગામના લોકો તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં બે યુવાન (1)વિલાસ ગુના સાપટે (ઉ.વ.47) રહેવાસી- દાભેરી, મૂલગાંવ, મહારાષ્ટ્ર અને(2) ભરત ધાકલ નાગડે (ઉ.વ.27) રહેવાસી દાભેરી, મૂલગાંવ જે બન્નેના ઘટનાસ્‍થળ ઉપર જ કરૂણ મોત થયા હતા. આ બાઈક ઉપર બે મહિલા સવાર હતી જેમાં (1) મંગલા વિલાસ સાપ્‍ટે (ઉ.વ.42) રહેવાસી દાભેરી જેને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ અને બીજી મહિલા અનુશ્‍યા લક્ષીમન ગોતરના (ઉ.વ.50) રહેવાસી દાભેરી, મુલગાંવ જેમને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે.

Related posts

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ ક્‍લીનઅપ-ડે નિમિત્તે યોજાયેલ સ્‍વચ્‍છતા અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ ટીમ સાથે લીધેલો ભાગ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment