Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ છે અને ઘણાં લોકો આવવા જવા માટે આ જૂના પુલનો ઉપયોગ કરે છે નરોલી રોડ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનહોની પણ થઈ શકે એમ છે. આ પુલનું સમારકામ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી દંડ પ્રક્રિયા સંહિતા 1973, ત્‍ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા કલમ 144 અંતર્ગત આદેશ જારી કરી નરોલી રોડનો જૂનો પુલ બંધ રહેશે. આ આદેશ જારી કર્યાના 30 દિવસ સુધી નરોલી રોડના નવા બ્રિજનો જ ઉપયોગ કરી શકાશે. જે કોઈપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ સજાને પાત્ર ઠરશે.

Related posts

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

vartmanpravah

Leave a Comment