Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસજી ભૂતપૂર્વ કેન્‍દ્રીય ટી બોર્ડના સભ્‍ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્‍થાન મોટી ખાતુ અને કબીર સમાધિ સ્‍થળ મગર ધામ કબીર 504ના કબીરના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્‍સવમાં સંતકબીર એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્‍તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ યુ. પટેલને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્‍માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.
ડૉ.વિમુખ યુ પટેલને આ એવૉર્ડ ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્‍ટરનેશનલ હોલ, નવી દિલ્‍હી ખાતે આયોજિત ભવ્‍ય સમારંભમાં આપવામાં આવશે. ડૉ. વિમુખ યુ. પટેલને વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલઅભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્‍સ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment