Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્‍તારમાં રૂપલીબેન રમણભાઈ માછી નાબંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જ્‍વાળા અને ધુમાડાના ગોટેગોટા બહાર દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્‍યા હતાં અને અગ્નિસામક દળને જાણ કરી હતી. તેમજ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. પરંતુ આગની જ્‍વાળા કાબુમાં આવવા પામી ન હતી જેથી અગ્નિશામક દળ આવીને આગને કાબુમાં કરે એ પહેલા ઘરવખરી આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. મકાનની અંદર રહેલા સામાન તેમજ મકાનની છત અને દિવાલને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું છે. આજના અકસ્‍માતમાં ભારે નુકસાની સહન કરનાર ગરીબ પરિવારને સહાય પ્રાપ્ત થાય એ દિશામાં ગામના સરપંચ શ્રી સુરેન્‍દ્રભાઈ માછીએ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment