July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.
ઉમરગામ તાલુકાનાનારગોલ ગામ ખાતે આવેલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટના સહષાારધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્‍બર માસની અંદર ભવ્‍ય પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય કક્ષાનો આ પૂજાનો કાર્યક્રમ વર્ષે 23 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર સુધી યોજાતો હોય છે જેમાં સમગ્ર દેશના દરેક રાજ્‍યથી હજારોની સંખ્‍યામાં માઁ નિર્મલાદેવીના અનુયાયીઓ નારગોલ ખાતે આવી પહોંચતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાંની અંદર અનુયાયીઓએ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નારગોલ સ્‍થિત નિર્મલ વન ખાતેના મંદિર તેમજ સહષાારધામને ભવ્‍યતાથી સજાવટ કરાયું હતું. આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ઉમરગામ 182ના ધારાસભ્‍ય રમણભાઈ પાટકર, નારગોલ ગામના સરપંચ સ્‍વીટી યતીન ભંડારી સહિત અનેક મહાનુભવોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું નિર્મલાદેવી ટ્રસ્‍ટના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ દિનેશભાઈ રાય તેમજ સ્‍થાનિક ટ્રસ્‍ટી સીમાબેન શર્માએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment