Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.
ઉમરગામ તાલુકાનાનારગોલ ગામ ખાતે આવેલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટના સહષાારધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્‍બર માસની અંદર ભવ્‍ય પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય કક્ષાનો આ પૂજાનો કાર્યક્રમ વર્ષે 23 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર સુધી યોજાતો હોય છે જેમાં સમગ્ર દેશના દરેક રાજ્‍યથી હજારોની સંખ્‍યામાં માઁ નિર્મલાદેવીના અનુયાયીઓ નારગોલ ખાતે આવી પહોંચતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાંની અંદર અનુયાયીઓએ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નારગોલ સ્‍થિત નિર્મલ વન ખાતેના મંદિર તેમજ સહષાારધામને ભવ્‍યતાથી સજાવટ કરાયું હતું. આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ઉમરગામ 182ના ધારાસભ્‍ય રમણભાઈ પાટકર, નારગોલ ગામના સરપંચ સ્‍વીટી યતીન ભંડારી સહિત અનેક મહાનુભવોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું નિર્મલાદેવી ટ્રસ્‍ટના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ દિનેશભાઈ રાય તેમજ સ્‍થાનિક ટ્રસ્‍ટી સીમાબેન શર્માએ ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.

Related posts

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment