Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્‍તારમાં રૂપલીબેન રમણભાઈ માછી નાબંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જ્‍વાળા અને ધુમાડાના ગોટેગોટા બહાર દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્‍યા હતાં અને અગ્નિસામક દળને જાણ કરી હતી. તેમજ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. પરંતુ આગની જ્‍વાળા કાબુમાં આવવા પામી ન હતી જેથી અગ્નિશામક દળ આવીને આગને કાબુમાં કરે એ પહેલા ઘરવખરી આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. મકાનની અંદર રહેલા સામાન તેમજ મકાનની છત અને દિવાલને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું છે. આજના અકસ્‍માતમાં ભારે નુકસાની સહન કરનાર ગરીબ પરિવારને સહાય પ્રાપ્ત થાય એ દિશામાં ગામના સરપંચ શ્રી સુરેન્‍દ્રભાઈ માછીએ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે બેલ્‍જીયમના કોન્‍સલ જનરલની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

Leave a Comment