April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્‍તારમાં રૂપલીબેન રમણભાઈ માછી નાબંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જ્‍વાળા અને ધુમાડાના ગોટેગોટા બહાર દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્‍યા હતાં અને અગ્નિસામક દળને જાણ કરી હતી. તેમજ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. પરંતુ આગની જ્‍વાળા કાબુમાં આવવા પામી ન હતી જેથી અગ્નિશામક દળ આવીને આગને કાબુમાં કરે એ પહેલા ઘરવખરી આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. મકાનની અંદર રહેલા સામાન તેમજ મકાનની છત અને દિવાલને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું છે. આજના અકસ્‍માતમાં ભારે નુકસાની સહન કરનાર ગરીબ પરિવારને સહાય પ્રાપ્ત થાય એ દિશામાં ગામના સરપંચ શ્રી સુરેન્‍દ્રભાઈ માછીએ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment