(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખતલવાડ ઢેખુ ખાડી વિસ્તારમાં રૂપલીબેન રમણભાઈ માછી નાબંધ મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા બહાર દેખાતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતાં અને અગ્નિસામક દળને જાણ કરી હતી. તેમજ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગની જ્વાળા કાબુમાં આવવા પામી ન હતી જેથી અગ્નિશામક દળ આવીને આગને કાબુમાં કરે એ પહેલા ઘરવખરી આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. મકાનની અંદર રહેલા સામાન તેમજ મકાનની છત અને દિવાલને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આજના અકસ્માતમાં ભારે નુકસાની સહન કરનાર ગરીબ પરિવારને સહાય પ્રાપ્ત થાય એ દિશામાં ગામના સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ માછીએ કાર્યવાહી હાથ ધરી છે.