Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

પબ્‍લિક પ્રોસિક્‍યુટર હરિઓમ ઉપાધ્‍યાયે 31 સાક્ષીઓને તપાસી કરેલી ધારદાર દલીલોને નામદાર અદાલતે માન્‍ય રાખી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણના બહુચર્ચિત સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણની હત્‍યા પ્રકરણમાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવી તમામને આજીવન કારાવાસની સજાનો આદેશ દમણના સેશન જજ શ્રી શ્રીધર એમ. ભોસલેએ સંભળાવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2 માર્ચ, 2020ના રોજ સાંજે 7 વાગ્‍યાની આસપાસ નાની દમણ ખારીવાડ ખાતે આવેલ સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણના રોયલ સુઝુકી બાઈક શો-રૂમમાં અજ્ઞાત હૂમલાખોરોએ પ્રવેશી પિસ્‍તોલ જેવા હથિયારથી કરેલી અંધાધૂંધ ફાયરિંગમાં સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણનું મોત થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસે આઈ.પી.સી.ની 302, 307, 34 અને આર્મ્‍સ એક્‍ટની કલમ 27 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
તપાસ અધિકારી પી.આઈ. શ્રી સોહિલ જીવાણી અને પી.એસ.આઈ. શ્રી જય પટેલે કરેલી તપાસ દરમિયાન 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં (1)ઉપેન્‍દ્ર રામજી રાય (2)જાવેદ મતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3)સંતોષશ્‍યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4)મેહુલ ઠાકુર (5)અબ્‍દુલ સજ્‍જાદ ખાન (6)નસરૂદ્દીન શેખ (7)જયરામ નામદેવ લોંઢે અને (8)હનિફ અજમેરીનો સમાવેશ થાય છે.
આ ગુનાની તપાસ પૂર્ણ કર્યા બાદ 23મી જૂન, 2020ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે 31 જેટલા સાક્ષીઓને તપાસી અને ધારદાર કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી સેશન જજ શ્રી શ્રીધર એમ. ભોસલેએ આરપી (1)જયરામ નામદેવ લોંઢ (2)જાવેદ મતી ઉલ્લા ખાન ઉર્ફે સુલતાન (3)સંતોષ શ્‍યામનારાયણ દુબે ઉર્ફે પંડિત (4)મેહુલ ઠાકુર (5)અબ્‍દુલ સજ્‍જાદ ખાન અને (6)નસરૂદ્દીન શેખને આજીવન કારાવાસની સજા અને રૂા.15 હજારના રોકડ દંડનો આદેશ કરવામાં આવ્‍યો છે. જ્‍યારે આરોપી ઉપેન્‍દ્ર રામજી રાય અને હનિફ અજમેરીને શંકાનો લાભ આપી છોડી મુકાયા છે. જ્‍યારે હત્‍યા પ્રકરણનો એક આરોપી સુનિલ દગડુ હજુ સુધી ભાગેડુ છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

Leave a Comment