April 17, 2026
Vartman Pravah
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : તારીખ. 27/12/2022ને મંગળવારના રોજ તા.ધરમપુરના નાની વહીયાળ ગામે વાંકા ફળીયા મોટી ખનકી પર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા નાની વહીયાળ હાઈસ્‍કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર. પટેલના પ્રયત્‍નો, ભલામણથી ચેકડેમ કમ કોઝવે માટે રૂા.11,97,000 મંજુર કરવામાં આવેલ હતા. જેનુ ખાતમુહૂર્ત જિ.પંચાયત શાસક પક્ષ નેતા શૈલેશકુમાર પટેલ, ભાજપ અગ્રણી બારોલીયા, સરપંચ જિ.પંચાયત સભ્‍ય પતિ શ્રી ગણેશભાઈ બિરારી, સરપંચ શ્રી વિનોદભાઈ પઢેર, માજી તા. પંચાયત સભ્‍યો જયેશભાઈ, નગીનભાઈ, ડેપ્‍યુટી સરપંચ દિનેશભાઈ,વડીલશ્રી જગાભાઈના વરદ હસ્‍તે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધિકાર રુબરુમાં કરવામાં આવ્‍યુ હતું. ચેકડેમ કમ કોઝવે બંધાતા નાની વહીયાળના કેટલાય ખેડૂતોને પાણીની સુવિધા અને ખેતીમાં અવરજવર માટે સુવિધા મળી રહેશે. જેથી ખેડૂતોએ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી ધારાસભ્‍યશ્રી અને હોદ્દેદારોનો આભાર માન્‍યો હતો.

Related posts

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment