જેસીબી ચાલક ઘાયલ થયો હતો તેમજ અસામાજીકોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 : વાપી જુના શાકમાર્કેટમાં પાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે ગયા સોમવારે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્ત્વોએ હલ્લાબોલ સાથે પથ્થરમારો કર્યો હતો. પાલિકાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરેલો તેથી પોલીસે 15 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે પૈકી 8ની ધરપકડ પોલીસે કરી છે. વાપી નગરપાલિકા દ્વારા જુનાશાકભાજી માર્કેટમાં 20 ફુટ પહોળો આર.સી.સી. રોડ બનાવવા હેતુ વચ્ચે આવતા ગેરકાયદે દબાણો હટાવવા ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન વ્હોરા મસ્જીદ પાસે ઉત્તમ જયશ્વાલની દુકાનની છત તોડતા પથ્થરમારો કરાયો હતો તેમજ જે.સી.બી.ની તોડફોડ કરી આગ ચાંપવાની કોશિશ પણ કરાયેલી હતી. પોલીસે આ ઘટનાના 15 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી તે પૈકી મનોજ જયશ્વાલ, રવિકાન્ત જયશ્વાલ, અભિષેક અને અન્ય નાબાલિક સાથે આઠ આરોપીની ધરપકડ કરી લીધી છે.