January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. વનવિભાગમાં 40 વર્ષથી ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત શ્રી ગોવિંદભાઈ પટેલ અને 33 વર્ષની સેવા બજાવનાર શ્રી દેવજી રાઠોડ સેવા નિવૃત્ત થયા. તેઓને સન્‍માન સાથે આજે વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોને તુલસીના છોડ અને બીલીના છોડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી ધવલ ગાંવિત, વન વિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, ડી.સી.એફ. શ્રી થોમસ વર્ગીસ, ડી.સી.એફ. શ્રી રાજતિલક, એ.સી.એફ. શ્રી વિજય પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ તથા નિવૃત થનાર કર્મચારીઓના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

vartmanpravah

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

Leave a Comment