March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. વનવિભાગમાં 40 વર્ષથી ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત શ્રી ગોવિંદભાઈ પટેલ અને 33 વર્ષની સેવા બજાવનાર શ્રી દેવજી રાઠોડ સેવા નિવૃત્ત થયા. તેઓને સન્‍માન સાથે આજે વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોને તુલસીના છોડ અને બીલીના છોડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી ધવલ ગાંવિત, વન વિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, ડી.સી.એફ. શ્રી થોમસ વર્ગીસ, ડી.સી.એફ. શ્રી રાજતિલક, એ.સી.એફ. શ્રી વિજય પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ તથા નિવૃત થનાર કર્મચારીઓના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

Leave a Comment