April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. વનવિભાગમાં 40 વર્ષથી ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત શ્રી ગોવિંદભાઈ પટેલ અને 33 વર્ષની સેવા બજાવનાર શ્રી દેવજી રાઠોડ સેવા નિવૃત્ત થયા. તેઓને સન્‍માન સાથે આજે વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોને તુલસીના છોડ અને બીલીના છોડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી ધવલ ગાંવિત, વન વિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, ડી.સી.એફ. શ્રી થોમસ વર્ગીસ, ડી.સી.એફ. શ્રી રાજતિલક, એ.સી.એફ. શ્રી વિજય પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ તથા નિવૃત થનાર કર્મચારીઓના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment