(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું. વનવિભાગમાં 40 વર્ષથી ફોરેસ્ટ ગાર્ડ તરીકે કાર્યરત શ્રી ગોવિંદભાઈ પટેલ અને 33 વર્ષની સેવા બજાવનાર શ્રી દેવજી રાઠોડ સેવા નિવૃત્ત થયા. તેઓને સન્માન સાથે આજે વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને તુલસીના છોડ અને બીલીના છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી ધવલ ગાંવિત, વન વિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, ડી.સી.એફ. શ્રી થોમસ વર્ગીસ, ડી.સી.એફ. શ્રી રાજતિલક, એ.સી.એફ. શ્રી વિજય પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ તથા નિવૃત થનાર કર્મચારીઓના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Previous post