August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દુનિયામાં ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ સહીત અન્‍ય દેશોમાં વધતા જતા કોવિડ-19ના કેસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંભવિત કોરોનાની લહેરને ધ્‍યાનમાં રાખીને સંઘપ્રદેશ આરોગ્‍ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં પ્રદેશના તમામ વિસ્‍તારની દરેક ખાનગી અને સરકારી હોસ્‍પિટલોમાં બે દિવસ પહેલા જ મોકડ્રીલ યોજીને બેડ, ઓક્‍સિજન, વેન્‍ટિલેટર, દવાઓ વગેરેની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કોરોના વાઈરસ નહીં ફેલાઈ એ માટે તકેદારીના ભાગ રૂપે આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ શહેરમાં દુકાને દુકાને જઈ ટેસ્‍ટિંગ શરૂ કરી દેવાયું છે. જેમાંફળ-ફૂલ વિક્રેતા, શાકભાજી વિક્રેતા, ચપ્‍પલની દુકાન, કપડાં, મીઠાઈ, કરિયાણા અને અન્‍ય નાની મોટી દુકાનોમાં જઈ દુકાનદારો તથા કામદારોના કોરોના ટેસ્‍ટ સેમ્‍પલ લેવામાં આવી રહ્યા છે અને તેના ટેસ્‍ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment