Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના ઘરે ઘરે નળ કનેકશન પાણી ધીમી ધારે આવી રહ્યા હોય એવા દૃશ્‍યો જોવા મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં સરકારશ્રીની ‘નલ સે જલ’યોજનાને ગ્રહણ લાગ્‍યું હોઈ તેમ ગામે ગામ યોજના બંધ પડી જવા પામી છે. નલ સે જલ યોજનામાં માત્ર રૂપિયાનો બે ફામબગાડ થતો હોવાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે, લોકોના મુખે એકજ અવાજ ઉઠી રહ્યો છે પાણી યોજનામાં પણ ગોબાચારી થાય છે કે શું એવું લોકોના મુખે ભારે ચર્ચાસ્‍પદ બનવા પામ્‍યું છે. સરકારશ્રીની યોજના ઘરે ઘર નલ સે જલ નળના સંકલ્‍પ સાથે સરકાર આગળ છેવાડાના માનવી સુધી ઝડપથી વધી રહી છે ત્‍યારે દરેક ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચે તેવા હેતુથી નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરે પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્‍યારે તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના કેટલાક મહિનાઓથી કામ પૂર્ણ નહીં થતા પ્રજાજનોના મુખે એકજ ચર્ચા જોર પકડી રહી છે નલ સે જલ યોજનામાં પણ ગોબાચારી થઈ શકે ખરી?
નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન જમીનના કેટલાક ફૂટ ખોદકામ કરી નીચેથી પાઈપ લાઈન નાંખવાની હોઈ છે પરંતુ કેટલાક ગામોમાં પાણીની પાઇપ લાઇન જમીનના એકાદ વેંત કે પછી અડધો ફૂટ ખોદી પાણીની પાઈપ લાઈન ઉપરથીજ પસાર કરવામાં આવતા ખોદકામ ઉંડાણમાં નહિ કરતા હોવાથી નાના મોટા વાહનો પસાર થતા પાણીની પાઈપ લાઈન તૂટી જવા પામી છે જેના લીધે કેટલાક ગામોમાંકામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એના લીધે કેટલાક ગામોમાં નલ સે જલ યોજનાની કામગીરી અધુરી રહી જવા પામી છે, તો કેટલાક ગામોમાં પાણીની પાઈપ લાઈન દોડાવવા માટે જમીનના ઝઘડામાં રહી જવા પામ્‍યું હોવાની માહિતી મળી રહી છે તો કેલાક ગામોમાં બોર તો કરાયા છે પણ તેમાં મોટર નહિ નાંખવામાં આવી રહી છે, તો કેટલાક ગામોમાં બોર ફેઈલ થઈ જતાં પાણીની સમસ્‍યા ઠેરની ઠેર રહી જવા પામી છે, કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત આશરે કેટલાક મહિનાઓથી કામ બંધ થતાં પીવાના પાણીની ખેંચ વર્તાઈ રહી છે, જે ગામોમાં પાણીની ટાંકી બંધ હાલતમાં હોઈ એવા ગામોમાં નલ સે જલ યોજના હેઠળ પાણીની રાહ જોઈને બેઠી આમ જનતા પીવાના પાણીને લઇને કકળાટ વચ્‍ચે લોકો પાણી વગર હવાતિયા મારવાની નોબત આવી રહી છે આં બાબતે સ્‍થાનિક તંત્ર તાલુકાના ગામે ગામ નલ સે જલ યોજના કંઇક કારણ સર બંધ પડી છે તેવા ગામોમાં જઈ તાત્‍કાલિક ધોરણે તપાસ હાથ ધરી સરકારશ્રીની યોજના વહેલી તકે ચાલુ કરાવે અને વહેલી તકે લોકોના ઘર સુધી પીવાનું પાણી મળે તેવી ગામે ગામની પ્રજાઓમાં માંગ ઉઠી રહી છે.

Related posts

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

Leave a Comment