October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામપંચાયત દ્વારા રૂપિયા 11.55 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવ ભાઈ વઘાત અને એમની સભ્‍યોની ટીમે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી નિર્માણ થનારાપેવર બ્‍લોકના રસ્‍તાઓનું આજરોજ ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રી રામ મંદિર પાસે રૂપિયા 1.5 લાખ, જૈન દેરાસર રોડ રૂપિયા 3.00 લાખ, રામ ફળિયું રૂપિયા 2.5 લાખ, સાઈ યોગી અપાર્ટમેન્‍ટ રૂપિયા 1.00 લાખ, અને શ્રી ગણેશ હોલ ખાતે આરસીસી ટોયલેટ બ્‍લોક રૂપિયા 2.5 લાખ મળી રૂપિયા 11.5 ના ખર્ચે થનારા વિકાસના કામનો સમાવેશ થઇ રહ્યો છે.
આજ રોજ પંચાયત દ્વારા હાથ ધરેલી ખાતમુર્હુત વિધિમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, પંચાયતના સભ્‍યો શ્રીમતી તળપ્તિબેન, શ્રીમતી મંજુબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી અસ્‍મિતાબેન તેમજ સરીગામના અગ્રણીઓ શ્રી રાકેશભાઈ રાય, ઉપરાંત ડોક્‍ટર આશિષ આરેકર, શ્રી હિતુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી શેખર ભાઈ આરેકર સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

Leave a Comment