April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામપંચાયત દ્વારા રૂપિયા 11.55 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવ ભાઈ વઘાત અને એમની સભ્‍યોની ટીમે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી નિર્માણ થનારાપેવર બ્‍લોકના રસ્‍તાઓનું આજરોજ ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રી રામ મંદિર પાસે રૂપિયા 1.5 લાખ, જૈન દેરાસર રોડ રૂપિયા 3.00 લાખ, રામ ફળિયું રૂપિયા 2.5 લાખ, સાઈ યોગી અપાર્ટમેન્‍ટ રૂપિયા 1.00 લાખ, અને શ્રી ગણેશ હોલ ખાતે આરસીસી ટોયલેટ બ્‍લોક રૂપિયા 2.5 લાખ મળી રૂપિયા 11.5 ના ખર્ચે થનારા વિકાસના કામનો સમાવેશ થઇ રહ્યો છે.
આજ રોજ પંચાયત દ્વારા હાથ ધરેલી ખાતમુર્હુત વિધિમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, પંચાયતના સભ્‍યો શ્રીમતી તળપ્તિબેન, શ્રીમતી મંજુબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી અસ્‍મિતાબેન તેમજ સરીગામના અગ્રણીઓ શ્રી રાકેશભાઈ રાય, ઉપરાંત ડોક્‍ટર આશિષ આરેકર, શ્રી હિતુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી શેખર ભાઈ આરેકર સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment