Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના ઘરે ઘરે નળ કનેકશન પાણી ધીમી ધારે આવી રહ્યા હોય એવા દૃશ્‍યો જોવા મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં સરકારશ્રીની ‘નલ સે જલ’યોજનાને ગ્રહણ લાગ્‍યું હોઈ તેમ ગામે ગામ યોજના બંધ પડી જવા પામી છે. નલ સે જલ યોજનામાં માત્ર રૂપિયાનો બે ફામબગાડ થતો હોવાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે, લોકોના મુખે એકજ અવાજ ઉઠી રહ્યો છે પાણી યોજનામાં પણ ગોબાચારી થાય છે કે શું એવું લોકોના મુખે ભારે ચર્ચાસ્‍પદ બનવા પામ્‍યું છે. સરકારશ્રીની યોજના ઘરે ઘર નલ સે જલ નળના સંકલ્‍પ સાથે સરકાર આગળ છેવાડાના માનવી સુધી ઝડપથી વધી રહી છે ત્‍યારે દરેક ઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચે તેવા હેતુથી નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરે પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્‍યારે તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના કેટલાક મહિનાઓથી કામ પૂર્ણ નહીં થતા પ્રજાજનોના મુખે એકજ ચર્ચા જોર પકડી રહી છે નલ સે જલ યોજનામાં પણ ગોબાચારી થઈ શકે ખરી?
નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન જમીનના કેટલાક ફૂટ ખોદકામ કરી નીચેથી પાઈપ લાઈન નાંખવાની હોઈ છે પરંતુ કેટલાક ગામોમાં પાણીની પાઇપ લાઇન જમીનના એકાદ વેંત કે પછી અડધો ફૂટ ખોદી પાણીની પાઈપ લાઈન ઉપરથીજ પસાર કરવામાં આવતા ખોદકામ ઉંડાણમાં નહિ કરતા હોવાથી નાના મોટા વાહનો પસાર થતા પાણીની પાઈપ લાઈન તૂટી જવા પામી છે જેના લીધે કેટલાક ગામોમાંકામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એના લીધે કેટલાક ગામોમાં નલ સે જલ યોજનાની કામગીરી અધુરી રહી જવા પામી છે, તો કેટલાક ગામોમાં પાણીની પાઈપ લાઈન દોડાવવા માટે જમીનના ઝઘડામાં રહી જવા પામ્‍યું હોવાની માહિતી મળી રહી છે તો કેલાક ગામોમાં બોર તો કરાયા છે પણ તેમાં મોટર નહિ નાંખવામાં આવી રહી છે, તો કેટલાક ગામોમાં બોર ફેઈલ થઈ જતાં પાણીની સમસ્‍યા ઠેરની ઠેર રહી જવા પામી છે, કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત આશરે કેટલાક મહિનાઓથી કામ બંધ થતાં પીવાના પાણીની ખેંચ વર્તાઈ રહી છે, જે ગામોમાં પાણીની ટાંકી બંધ હાલતમાં હોઈ એવા ગામોમાં નલ સે જલ યોજના હેઠળ પાણીની રાહ જોઈને બેઠી આમ જનતા પીવાના પાણીને લઇને કકળાટ વચ્‍ચે લોકો પાણી વગર હવાતિયા મારવાની નોબત આવી રહી છે આં બાબતે સ્‍થાનિક તંત્ર તાલુકાના ગામે ગામ નલ સે જલ યોજના કંઇક કારણ સર બંધ પડી છે તેવા ગામોમાં જઈ તાત્‍કાલિક ધોરણે તપાસ હાથ ધરી સરકારશ્રીની યોજના વહેલી તકે ચાલુ કરાવે અને વહેલી તકે લોકોના ઘર સુધી પીવાનું પાણી મળે તેવી ગામે ગામની પ્રજાઓમાં માંગ ઉઠી રહી છે.

Related posts

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah

Leave a Comment