April 18, 2026
Vartman Pravah
ઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપી

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ રાજ્‍યપાલ દેવવ્રત આચાર્યએ નવા ટ્રસ્‍ટીગણની રચના કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05 : મહાત્‍મા ગાંધીજીના હસ્‍તે અમદાવાદમાં સ્‍થપાયેલ ગાંધીવાદી શૈક્ષણિકસંસ્‍થાન ગુજરાત વિદ્યાપીઠમાં નવા ટ્રસ્‍ટીઓની નિમણૂંક માટે હાલમાં જ મીટિંગ મળી હતી. તેમાં નિવૃત્ત થયેલ ચાર ટ્રસ્‍ટીઓને સ્‍થાને નવા ટ્રસ્‍ટીની વિચાર વિમર્શ બાદ નિમણૂંક કરાઈ હતી. જેમાં વાપીના ગાંધીવાદી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યાપીઠના નવા ચાર ટ્રસ્‍ટીઓની વરણી માટે મીટિંગ યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂંક થયેલા મહામહિમ રાજ્‍યપાલ દેવવ્રત આચાર્યની અધ્‍યક્ષતામાં મળેલ મીટિંગમાં નવા ચાર ટ્રસ્‍ટીઓની નિમણૂંક અંગે વિચાર વિમર્શ બાદ સર્વાનુમતે નિમણૂંક કરાઈ હતી. હવેથી ટ્રસ્‍ટીમંડળમાં ગફુરભાઈ બિલખીયા પદ્મશ્રી, રાજશ્રી બિરલા પદ્મવિભૂષણ, દિલીપ ઠાકર અને હર્ષદ પટેલનો નવા ટ્રસ્‍ટી તરીકેની વરણી જાહેર કરાઈ હતી. હજુ પણ ટ્રસ્‍ટીગણની કેટલીક સીટ ખાલી છે જે આગામી સમયે નવા નામ ટ્રસ્‍ટીઓના ઉમેરાઈ શકે એમ છે. ગફુરચાચાના હુલામણા નામથી વાપી સહિત વલસાડ જિલ્લામાં મશહૂર રહ્યા છે. સમાજ સેવા અને ગાંધીવાદી પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા આવ્‍યા છે.

Related posts

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

Leave a Comment