March 3, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

સાયલી ઢીઢપાડા રહેતા આદિવાસી પરિવારનો ૯ વર્ષિય બાળક ચૈતા ગણેશ માહ્ના કોહલાનો નરબલી ચઢાયાની લોકોની આશંકા

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫ : વાપી સહિત દાદરા નગર હવેલી વિસ્તારમાં અરેરાટી પ્રસરાવેલી જધન્ય ઘટના વાપી કરવડ ગામે નહેરમાંથી નવ વર્ષિય કિશોરની ક્ષત વિક્ષત લાશ મળી હતી. સેલવાસ સાયલી ઢીઢપાડા ખાતે આદિવાસી પરિવારનો ચૈતા ગણેશ માહ્ના કોહલા ગુમ થયો હતો. તેની ગુમ અંગેની ફરિયાદ સેલવાસ પોલીસમાં પરિવારે નોîધાવી હતી. ત્રીજા દિવસે માસુમની ડેથબોડી વાપી નજીક કરવડ નહેરમાં માથા, પગ વગરની મળી આવી હતી. જેની ગુજરાત અને દાનહ પોલીસે હાથ ધરેલી ઝીણવટ ભરેલી તપાસમાં બાળકનુ માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે તેથી ઘટના વધુ રહસ્યમય બની ચૂકી છે.
અત્યંત અરેરાટી ઉપજાવતી ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. પરિવાર અને ગ્રામજનોઍ પોલીસમાં આવેદનપત્ર પાઠવીને અધર્મ કૃત્ય કરનારને પકડી સજા આપવાની આક્રોશ ભરેલી માંગ કરી છે. પોલીસ તપાસમાં મૃત બાળકના માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે. તેથી ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે બાળકનો નરબલી ચઢાવાયો છે. બીજી તરફ સેલવાસ પોલીસ હાલ મગનું નામ મરી પાડી રહી નથી તેથી લોકોનો રોષ વધતો ચાલ્યો છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment