January 17, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

સાયલી ઢીઢપાડા રહેતા આદિવાસી પરિવારનો ૯ વર્ષિય બાળક ચૈતા ગણેશ માહ્ના કોહલાનો નરબલી ચઢાયાની લોકોની આશંકા

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫ : વાપી સહિત દાદરા નગર હવેલી વિસ્તારમાં અરેરાટી પ્રસરાવેલી જધન્ય ઘટના વાપી કરવડ ગામે નહેરમાંથી નવ વર્ષિય કિશોરની ક્ષત વિક્ષત લાશ મળી હતી. સેલવાસ સાયલી ઢીઢપાડા ખાતે આદિવાસી પરિવારનો ચૈતા ગણેશ માહ્ના કોહલા ગુમ થયો હતો. તેની ગુમ અંગેની ફરિયાદ સેલવાસ પોલીસમાં પરિવારે નોîધાવી હતી. ત્રીજા દિવસે માસુમની ડેથબોડી વાપી નજીક કરવડ નહેરમાં માથા, પગ વગરની મળી આવી હતી. જેની ગુજરાત અને દાનહ પોલીસે હાથ ધરેલી ઝીણવટ ભરેલી તપાસમાં બાળકનુ માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે તેથી ઘટના વધુ રહસ્યમય બની ચૂકી છે.
અત્યંત અરેરાટી ઉપજાવતી ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. પરિવાર અને ગ્રામજનોઍ પોલીસમાં આવેદનપત્ર પાઠવીને અધર્મ કૃત્ય કરનારને પકડી સજા આપવાની આક્રોશ ભરેલી માંગ કરી છે. પોલીસ તપાસમાં મૃત બાળકના માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે. તેથી ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે બાળકનો નરબલી ચઢાવાયો છે. બીજી તરફ સેલવાસ પોલીસ હાલ મગનું નામ મરી પાડી રહી નથી તેથી લોકોનો રોષ વધતો ચાલ્યો છે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

Leave a Comment