July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્‍ટના ચેરમેન અભિનવ ડેલકરે ગુજરાત ભૂષણ પુરસ્‍કાર પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. રાજીવ સિંહને શુભકામના આપી સતત ક્રિયાશીલ રહેવા માટે પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્‍ય સ્‍તરીય ભૂષણ પુરસ્‍કારથી વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસમાં કાર્યરત વિશિષ્ટ વ્‍યક્‍તિઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. રાજ્‍ય સ્‍તરીય આ પુરસ્‍કારનો ઉદ્દેશસફળતાનો સ્‍વીકાર કરવો, યોગદાનને ઓળખવું, પ્રયાસોની સરાહના કરવી અને વિવિધ ક્ષેત્રથી યોગદાન આપનારાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે.
અમદાવાદમાં આયોજીત રાજસ્‍થાન અને ગુજરાતના રાજ્‍ય ભૂષણ પુરસ્‍કાર સમારોહમાં પદ્મશ્રી ડો. રવિકુમાર નારાના હસ્‍તે વિશિષ્‍ટ વ્‍યક્‍તિઓને પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. જેમાં દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવ સિંહને એમના દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્‍કૃષ્ટ શોધકાર્યો, નવોનમેશી અધ્‍યયન શૈલીના નિર્માણ અને ક્રિયાન્‍વયન, આંતરરાષ્ટ્રીય સ્‍તર પર કરવામાં આવેલ પ્રકાશનોના આધારે ઉત્‍કૃષ્ટ કાર્ય કરવા માટે ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી અભિનવ ડેલકરે ગુજરાત ભૂષણ પુરસ્‍કાર પ્રાપ્ત કરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. રાજીવ સિંહને શુભકામના આપી હતી અને સતત ક્રિયાશીલ રહેવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી અજીત દેશપાંડે અને પબ્‍લિક રિલેશન ઓફિસર ડો. પંકજ શર્માએ પણ શોધ અને લેખન કાર્યના માધ્‍યમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ હેતુ ક્રિયાશીલ રહેવા માટે ડો. રાજીવ સિંહને શુભકામના પાઠવી હતી.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

Leave a Comment