સાઈબર ફ્રોડનો ભોગ બનોત્યારે ટોલ ફ્રી નંબર 1930 ઉપર સાઈબર ક્રાઈમ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ વાપી ડીવાયએસપી ઓફિસમાં સાઈબ્ર ક્રાઈમ ફ્રોડ બાબતે જનતાને ખાસ જાગૃત કરવા સંદેશ આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
એસ.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અત્યારે મોબાઈલ સોશિયલ મીડિયા ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. તેને કારણે ધીરે ધીરે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા દૈનિક કરોડો, અબજો રૂપિયાના ફ્રોડ થઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટે ભાગે મોબાઈલમાં આવતી અલગ અલગ એપ્લિકેશન ઉપયોગ કરતા સતર્ક રહેવું જોઈએ. કોઈપણ સાઈબર ક્રાઈમ ભોગ બનનારે વહેલી તકે ફરિયાદ કરી શકે તે માટે એસ.પી. કચેરી વલસાડમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. ઘણા કિસ્સામાં ફ્રોડના પૈસા પરત આવેલા છે. પોલીસે અત્યાર સુધીમાં રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે તે માટે તુરત ટોલ ફ્રી નંબર 1930 ઉપર ક્રાઈમ પો.સ્ટે.માં ફોન કરી ફરિયાદ લખવાનો અનુરોધ કર્યો હતો કે બેંકની કેવાયસી અપડેટ કરવાના બહાને કોઈ લીંક મોકલવી, અન્ય લાભ આપવો, ઓ.ટી.પી. માંગવા જેવી મોડસ ઓપરેન્ડી આમાંસામેલ છે. મોબાઈલમાં ક્યારે પણ ઈ-મેઈલમાં બેંક ડીટેલ આપવી નહીં. નહીંતર ખાતું ખાલી થઈ જશે. ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અલગ લીંક મોકલાવાય છે. લીંક ક્લીક કરવાથી મોબાઈલનો ડેટા હેક થઈ જશે. મોટી હસ્તી સાથે પણ ફ્રોડ થયા છે. ન્યુડ વ્યક્તિ આવે અને કોન્ટેક્ટ લીસ્ટમાં મોકલવાનો ડર બતાવે, બ્લેક મેલ કરવામાં આવે છે. કેબીસીમાં નંબર લાગ્યો છે તેવી લાલચો પણ અપાય છે.