April 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડસેલવાસ

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

ઈજાગ્રસ્‍તોને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલીના ઘોડબારી ગામ ખાતે પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થયું હતું અને અન્‍ય આઠ લોકોને ઇજા થઈ હતી. જેઓને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દૂધની ગામના બાજર ફળિયા ખાતે લગ્નવિધિ માટે કપરાડા તાલુકાના ઘોંટવળ ગામના 25થી વધુ લોકો પીકઅપ ટેમ્‍પો નંબર જીજે-15 એટી-8550માં જઈ રહ્યા હતા. જેઓ લગ્નવિધિ પતાવ્‍યા બાદ બપોરે પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન પીકઅપ ટેમ્‍પોના ચાલકે સ્‍ટીગરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્‍પો રોડની સાઈડ પર પલ્‍ટી મારી ગયો હતો. આ અકસ્‍માતમાં એક મહિલા નામે મીરીબેન રમનભાઈ પારગી (ઉ.વ.48)નું ઘટના સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ઘટનાને જોતા ગામલોકો ઈજાગ્રસ્‍તોની મદદે દોડી આવ્‍યા હતા. લોકોએ 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી ગંભીર રીતે ઘાયલ (1) સુમિત્રાબેન રાજીરામભાઈ ગોધડ(ઉ.વ.44) (2) સૂરદાની અંજુન ભડાગી (ઉ.વ.43) (3)ટુલોહ્યા ગંગા બારહે (ઉ.વ.47) (4)સંજુ રંગા ધોડહળે (ઉ.વ.28) જેઓને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા અને અન્‍ય ચાર જેમાં (1)લિપોની રાવજી પાગી (ઉ.વ.49) (2)રશ્‍મીબેન ભવન પારધી (ઉ.વ.47) (3)તાઈ અર્જુન થાળકર (ઉ.વ.63) જેઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.

Related posts

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ કોલેજમાં ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment