Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડસેલવાસ

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

ઈજાગ્રસ્‍તોને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલીના ઘોડબારી ગામ ખાતે પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થયું હતું અને અન્‍ય આઠ લોકોને ઇજા થઈ હતી. જેઓને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દૂધની ગામના બાજર ફળિયા ખાતે લગ્નવિધિ માટે કપરાડા તાલુકાના ઘોંટવળ ગામના 25થી વધુ લોકો પીકઅપ ટેમ્‍પો નંબર જીજે-15 એટી-8550માં જઈ રહ્યા હતા. જેઓ લગ્નવિધિ પતાવ્‍યા બાદ બપોરે પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન પીકઅપ ટેમ્‍પોના ચાલકે સ્‍ટીગરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્‍પો રોડની સાઈડ પર પલ્‍ટી મારી ગયો હતો. આ અકસ્‍માતમાં એક મહિલા નામે મીરીબેન રમનભાઈ પારગી (ઉ.વ.48)નું ઘટના સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ઘટનાને જોતા ગામલોકો ઈજાગ્રસ્‍તોની મદદે દોડી આવ્‍યા હતા. લોકોએ 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી ગંભીર રીતે ઘાયલ (1) સુમિત્રાબેન રાજીરામભાઈ ગોધડ(ઉ.વ.44) (2) સૂરદાની અંજુન ભડાગી (ઉ.વ.43) (3)ટુલોહ્યા ગંગા બારહે (ઉ.વ.47) (4)સંજુ રંગા ધોડહળે (ઉ.વ.28) જેઓને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા અને અન્‍ય ચાર જેમાં (1)લિપોની રાવજી પાગી (ઉ.વ.49) (2)રશ્‍મીબેન ભવન પારધી (ઉ.વ.47) (3)તાઈ અર્જુન થાળકર (ઉ.વ.63) જેઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા છે.

Related posts

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

Leave a Comment