(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: નવોદય વિદ્યાલય સમિતિએ 2023-24ના સત્ર માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6ની ખાલી બેઠકોમાં પ્રવેશ માટે આવેદનપત્ર ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે. જેની અંતિમ તારીખ 31-01-2023 છે.
અત્રે આપેલ https://www.nvsadmissionclasssix.in/nvs/homepage લિંક ઉપર જઈ આવેદનપત્ર ઓનલાઈન ભરી શકાતું હોવાનું દમણ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.